મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટીમાં ગત 1 એપ્રિલના રોજ બી.કોમ સેમેસ્ટર 6 માં એકાઉન્ટનું પેપર જે પરીક્ષા શરૂ થવાના 18 મિનિટ પહેલા વાયરલ થયું હોય જે અંગેની ઘટસ્ફોટ યુવા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ સોસીયલ મીડિયા દ્વારા કરતા વધુ એક પેપર ફૂટવાની આશંકાએ ભાવનગર યુનિવર્સિટી દ્વારા તાકીદે કમિટીની રચના કરી તપાસના આદેશ આપ્યા છે, અને જરૂર પડે જો આ અંગે કોઈ હકીકત સામે આવશે તો જે તે વ્યક્તિઓ સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે તેમ જણાવ્યું હતું.