દેશભરમાં 2030 સુધીમાં લગભગ 17 હજાર, 700 સીએનજી સ્ટેશનો સ્થાપિત કરવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. રાજ્યસભામાં એક લેખિત જવાબમાં પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્યમંત્રી રામેશ્વર તેલીએ જણાવ્યું હતું કે, આ વર્ષે 31 જાન્યુઆરી સુધી દેશમાં પાંચ હજાર, 118 સીએનજી સ્ટેશન સ્થાપિત કરવામાં આવ્યાં છે. તેમણે જણાવ્યું હતું કે સીએનજી સ્ટેશનોની સ્થાપનાએ સિટી ગેસ ડિસ્ટ્રિબ્યુશન નેટવર્કના વિકાસનો એક ભાગ છે અને તે પેટ્રોલિયમ અને નેચરલ ગેસ રેગ્યુલેટરી બોર્ડ દ્વારા અધિકૃત સંસ્થાઓ દ્વારા હાથ ધરવામાં આવે છે. અન્ય પ્રશ્નના જવાબમાં, શ્રી તેલીએ જણાવ્યું હતું કે, નવેમ્બર અને ડિસેમ્બર 2018 માં જાહેર ક્ષેત્રની ઓઇલ માર્કેટિંગ કંપનીઓ, OMC એ સમગ્ર દેશમાં રિટેલ આઉટલેટ્સ સ્થાપવા માટે 78 હજાર 389 સ્થળોની જાહેરાત કરી હતી. તેમણે કહ્યુંકે તેમાંથી આ વર્ષે 1લી માર્ચ સુધીમાં OMC એ 18 હજાર 28 રિટેલ આઉટલેટ શરૂ કર્યા છે.