નર્મદા જીલ્લામાં ચાલી રહેલી ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમમાં શ્રદ્ધાળુઓની સુવિધા વધારવા વિશેષ પગલા હાથ ધરાયા છે. જીલ્લા કલેકટર શ્વેતા તવેટિયાએ સ્થળ મુલાકાત લઇ શ્રદ્ધાળુઓ માટે જરૂરી વ્યવસ્થા અને જેટીનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી, પાણી, મંડપ, સુરક્ષા, સહિતની વ્યવસ્થા જાળવવા નિર્દેશ આપ્યા હતા. ભકતોની સુવિધા માટે તિલકવાડા પાસે 25 અને રામપુરા પાસે 15 નવી બોટ અને ટીકીટ વ્યવસ્થા કરાઇ છે તથા નવી પાંચ જેટીનું નિર્માણ કરવા નિર્ણય કરાયો છે.